Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

'ઐશ્વર્યાથી મને જીવનુ જોખમઃ જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવા ધમકી આપી': રાબડી દેવીએ કર્યો કાઉન્ટર કેસ

ઐશ્વર્યાએ જીવલેણ હુમલો કરતા સુરક્ષાકર્મીઓ બચાવી લેતા ગાળો દેવા લાગી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

નવી દિલ્હી : એક વાર ફરીથી રાજદ પ્રમુખ લાલુ યાદવના ઘરનો ઝઘડો સમાચારોમાં આવી ગયો છે કારણકે લાલુના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાયે પોતાના પતિ, પોતાની સાસુ રાબડી દેવી અને પોતાની નણંદ મીસા ભારતી સામે એફઆઈઆર નોંધાવી છે. પટનાના 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડીના આવાસ બહાર રવિવારે મોડી સાંજે ઐશ્વર્યાએ આરોપ લગાવ્યો કે રાબડી દેવીએ પોતાની મહિલા સુરક્ષાકર્મીઓ સાથે મળીને તેમના વાળ ખેંચ્યા અને મારપીટ કરીને ઘરમાંથી બહાર કાઢી દીધી.

ત્યારબાદ હવે તેજ પ્રતાપની મા રાબડી દેવીએ મહિલા પોલિસ સ્ટેશનમાં વહુ ઐશ્વર્યા સામે કેસ નોંધાવ્યો છે. જેમાં તેમણે કહ્યુ છે કે ઐશ્વર્યાએ 15 ડિસેમ્બરની સાંજે તેમના જાનલેવા હુમલો કર્યો. તે રવિવારની સાંજે આવાસ પરિસરમાં બેઠા હતા ત્યારે ઐશ્વર્યાએ તેમના પર જાનલેવા હુમલો કરી દીધા અને કોઈ રીતે ત્યાંથી ભાગ્યા ત્યારે તેમનો જીવ બચી શક્યો.

સુરક્ષાકર્મીઓએ બચાવ કર્યો. આના પર ઐશ્વર્યા ગાળો દેવા લાગી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી રહી. નવ ઓક્ટોબરે જ્યારે તે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી ત્યારે દરવાજા પર જોરથી લાત મારીને ઐશ્વર્યાએ કચરો ફેંકી દીધો. વહુ વારંવાર હેરાન કરી રહી છે. આ તરફ એસએસપી ગરિમા મલિકે જણાવ્યુ કે રાબડી દેવી તરફથી મળેલા આવેદનની તપાસ કરવામાં આવી રહી છે.

(11:59 am IST)