Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

વોડાફોનની ધમકી પર બરાબરના બગડયાં આ કેન્દ્રીય મંત્રી!

જો કોઈ પોતાની વાત અમારા ઉપર થોપવા માગે છે તો તે અમને સ્વીકાર નથી

નવી દિલ્હી,તા.૧૭: બ્રિટેનની દૂરસંચાર કંપની વોડાફોને સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો. જે મામલે દૂરસંચાર મત્રી રવિશંકર પ્રસાદે કંપનીને પોતાની મનમરજી થોપવા મામલે આડેહાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ વોડાફોને ભારતીય બજારમાંથી નીકળી જવાની ધમકી આપી હતી. પ્રસાદે કહ્યું કે, MTNL અને BSNL રણનીતિક સંપત્ત્િ।ઓ છે, અને સારી પ્રતિસ્પર્ધા માટે તેમનું કાયમ રહેવું જરૂરી છે.

સુપ્રીમ કોર્ટનાં AGR પર ગત મહિને આવેલાં નિર્ણય બાદ દૂરસંચાર કંપનીઓ પર ૧.૪ લાખ કરોડ રૂપિયા ચૂકવવાના છે. વોડાફોન વૈશ્વિક નેતૃત્વએ ભારતમાં કંપનીના ભવિષ્યને લઈને આશંકાઓ વ્યકત કરી છે.

રવિ શંકર પ્રસાદે આ મામલે કહ્યું કે, સ્પષ્ટ રીતે હું આ પ્રકારનાં નિવેદન પસંદ નથી કરતો. અમે કારોબાર કરવા માટે તમામ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યા છે. કોઈ અમને પોતાની મનમરજી થોપી શકતા નથી. ભારત એક સંપ્રભુ દેશ છે. અમે તમામ લાભ અને તમામ મદદ આપવા માટે તૈયાર છીએ. તમામ સુચનો માટે પણ તૈયાર છીએ. પણ જો કોઈ પોતાની વાત અમારા ઉપર થોપવા માગે છે તો તે અમને સ્વીકાર નથી.

જો કે રવિશંકર પ્રસાદે કંપની દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટિકરણનું સ્વાગત કર્યું હતું. વોડાફોને સ્પષ્ટિકરણ આપતાં કહ્યું કે, તેઓનાં નિવેદનનો ખોટો અર્થ નીકાળવામાં આવ્યો છે.

(11:03 am IST)