Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

પશ્ચિમ બંગાળમાં નાગરિકતા કાયદો લાગુ કરવા મારી લાશ પરથી પસાર થવું પડશે: મમતા બૅનર્જીનો હુંકાર

મમતાએ કહ્યું હું ક્યારેય પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સુધારો કાયદો લાગુ નહી થાવ દઉં

નાગરિક્તા સંશોધન કાનૂન પર દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનનોનો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે આ સમયે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે જો તમે મારી સરકારને સંપૂર્ણ રીતે પાડવા ( ઉખાડીને ફેંકી) માંગતા હોય તો પાડી નાખો.પરંતુ હું ક્યારેય પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સુધારો કાયદો લાગુ નહી થાવ દઉં.

 તેમણે જણાવ્યું કે તેઓ નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કરવા માંગે છે તો તેના માટે તેમણે મારી લાશ પરથી પસાર થવું પડશે.

 સીએમ મમતા બેનર્જીએ કોલકાતામાં જણાવ્યું કે અમારો વિરોધ પ્રદર્શન ત્યાં સુધી સતત ચાલુ રહેશે કે જ્યાં સુધી એનઆરસી અને નાગરીક સંશોધન કાનૂન કેન્દ્ર સરકાર પાછું ના ખેંચી લે ત્યાં સુધી કાર્યરત રહીશું.

(9:15 pm IST)