Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

મંજૂરી વગર બીજા લગ્ન કરવાવાળા સજાને પાત્રઃ ઇલ્હાબાદ હાઇકોર્ટ

નવી દિલ્હી, તા.૧૭: ઇલ્હાબાદ હાઇકોર્ટના કર્મચારીની એક પત્નીના જીવિત રહેતા નિયમ ૨૯ હેઠળ સરકારની મંજૂરી વગર ફરી લગ્ન કરવાના આરોપને દંડિત કરવા માટે રાજય લોક સેવા અધિકારણના નિર્ણય પર હસ્તક્ષેપ કરવાથી ઇન્કાર કરી દીધો છે.

કોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ ૨૨૬ હેઠળ આંતરિક શકિતઓના ઉપયોગની ચોક્કસ મર્યાદા છે. અરજદાર સામે નિયમોનો ભંગ કરવાનો અને વિભાગને ગેરમાર્ગે દોરવાનો આરોપ પુરાવા અને તથ્યો દ્વારા પુરવાર થયો છે. જેના માટે તે સજાને પાત્ર છે. કોર્ટે પેન્શન જપ્ત કરવાના વિભાગીય આદેશ અને ટ્રિબ્યુનલ દ્વારા કેસને બરતરફ કરવાના આદેશને યોગ્ય ઠેરવતા અરજીને ફગાવી દીધી હતી.

સહારનપુરના મનવીર સિંહની અરજી પર બુધવારે જસ્ટિસ એસપી કેસરવાની અને જસ્ટિસ વિકાસની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો હતો. અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે ખોટી રજૂઆત કરવા બદલ આટલી કડક સજા ન આપવી જોઈએ. ગેરસમજને કારણે, અરજદારે શરૂઆતમાં ખોટી હકીકતો આપી પરંતુ બાદમાં સાચી હકીકતો આપી. કેસના તથ્યો મુજબ, સપ્ટેમ્બર ૧૯૭૦માં મદદનીશ ફરિયાદી તરીકે નિયુકત થયેલા અરજદાર ડિસેમ્બર ૨૦૦૪માં વરિષ્ઠ સરકારી વકીલ તરીકે નિવૃત્ત થયા હતા. આ પછી ૨૮ જૂન ૨૦૦૫ના રોજ સજા આપવામાં આવી છે. ટ્રિબ્યુનલે પણ ૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ કેસને ફગાવી દીધો હતો.

(3:17 pm IST)