Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

નિરંજની અખાડાના મહંત આશિષ ગિરીએ રૂમમાં ગોળી મારી આત્મહત્યા કરી: સાધુ-સંતોમાં આઘાતની લાગણી

મહંત આશિષ ગિરી લાંબા સમયથી લીવરી બિમારથી પીડિત હતા.

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નિરંજની અખાડાના મહંત આશીષગીરીએ અખાડાની અંદર પોતાના રૂમમાં ગોળી મારીને આત્મહત્યા કરી  છે. આશિષ ગિરીની આત્મહત્યાથી અખાડાના સાધુ-સંતોમાં આઘાતની લાગણીમાં સરી પડ્યા છે ઘટનાની જાણ થતા ઘણા પોલીસ સ્ટેશનના પોલીસ સાથે એસએસપી અને ડીઆઈજી તરત સ્થળે પહોંચી ગયા હતા. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરી પણ સ્થળ પર પહોંચી ગયા હતા

  મહંત આશિષ ગિરી લાંબા સમયથી લીવરી બિમારથી પીડિત હતા.આ કારણે ઘણા પરેશાન રહેતા હતા. પોલીસનો મત છે કે આ કારણે તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. હાલ ઘટનાસ્થળે પોલીસ અને ફોરેન્સિક ટીમના મોટા અધિકારીઓએ લાશને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

   મહંત આશિષ ગિરી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય પણ છે. સાથે મહંત આશિષ ગિરી નિરંજની અખાડાના સચિવ પણ હતા.

   અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું હતું કે આ ઘણા દુખની ક્ષણ છે. આશિષ ગિરી ઘણા સરળ સ્વભાવના હતા. તે લાંબા સમયથી લીવરની બિમારીથી પીડિત હોવાના કારણે પરેશાન રહેતા હતા. તેમની આત્મહત્યાથી સંત સમાજનું ઘણું દુખ થયું છે.

(5:27 pm IST)