Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કલાયમેન્ટ ચેન્જને કારણે ઉત્પાદન ઘટતા બિયર મોંઘી થશે

બિયરની કિંમતમાં ૧૫ ટકા વધારો થશે : જળવાયુ પરિવર્તનની અસરથી જીવનશૈલીની ગુણવત્તા ઘટશે : પ્રો.ગુઆન

લંડન તા. ૧૭ : વિશ્વમાં બિયર શોખીનો મોટી સંખ્યામાં છે. તેમજ એક આલ્કોહોલિક પીણા તરીકે પણ બિયર સૌની પ્રથમ પસંદ છે. જોકે, હવે બિયર શોખીનો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. કારણ કે જળવાયુ પરિવર્તનના કારણે ફસલો(પાક)ના ઉત્પાદનમાં અસર પડી છે અને એનું પરિણામ એ છે કે બિયરનું ઉત્પાદન પણ ઘટી છે. જેના કારણે બિયરની કિંમત બમણી ચુકવવી પડે તો નવાઈ નહીં.

 યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયા અને બ્રિટેનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગલિયાના સંયુકત અભ્યાસમાં થકી જાણવા મળ્યું કે ઓછા ઉત્પાદનના કારણે બિયરની કિંમતમાં મોટો વધારો થઈ રહ્યો છે અને પરિણામે બિયરની માંગ ઘટી રહી છે. બ્રિટન, ચીન, મેકિસકો અને અમેરિકાના સંશોધકોએ જળવાયુ પરિવર્તનની ઓળખ કરી અને કુલ ૩૪ ક્ષેત્રોની ફસલો(પાક)નો અભ્યાસ કરવામાં આવ્યો, આ ફસલ બિયર બનાવવામાં કામ આવે છે. ત્યારબાદ બીયરની ખપતમાં ઘટાડો થયો બિયરની કિંમતોની તપાસ કરવામાં આવી.

આ તાજા અભ્યાસ સાથે જોડાયેલા સંયોજક અને લેખક ગુઆન યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગલિયામાં જળવાયુ પરિવર્તન વિભાગમાં પ્રોફેસર છે. એ ઈચ્છે છે કે પશ્ચિમી દેશોના લોકોએ જાણવું પડશે કે જળવાયુ પરિવર્તનનું અસર તેમની જિંદગી પર કેટલી થાય છે. એ કહ છે કે ભલે જળવાયુ પરિવર્તનથી પશ્ચિમ દેશોને વિકાસશીલ દેશોની જેમ ખાવા-પીવામાં અસર ન પડે પરંતુ એમની જિંદગીની ગુણવત્તા પર અસર પડી શકે છે.

 આ અભ્યાસ મુજબ વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનમાં લગભગ ૩ થી ૧૭ ટકા સુધીનું નુકસાન થયું છે. મોસમની ખરાબ અસરને કારણે દુનિયામાં બિયરની માંગમાં ૧૬ ટકાનો ઘટાડો થઈ જશે. જે ૨૯ અબજ લીટર બરાબર છે અને લગભગ એટલી બિયર અમેરિકામાં એક વર્ષમાં લોકો પી જાય છે. જો બિયરની માંગ ૪ ટકા ઘટશે તો બિયરની કિંમતમાં ૧૫ ટકાનો વધારો થઈ જશે.

અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, હાલ ચીનમાં સૌથી વધારે બિયરની માંગ છે. બીજી તરફ બિયર માટે મશહૂર જર્મનીમાં જળવાયુ પરિવર્તનની અસર દેખાશે અને અહીંયા લગભગ ૩૦ ટકા બિયરની માંગ ઘટી શકે છે.

જળવાયુ પરિવર્તનની અસર ફકત બિયર પર નહીં પણ વાઈન, ચા, કોફી, ચોકલેટ પર પણ પડશે. પ્રોફેસર ગુઆન કહે છે કે, જળવાયુ પરિવર્તન તમને મારશે નહીં પરંતુ તમારી જીવનશૈલી પર અસર કરશે તે નિશ્યિત છે.(૨૧.૪)

(9:32 am IST)