Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજીને દંડવત કરીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંજલિ અર્પી

વાજપેયીના દેહ આગળ ઘૂંટણના બળે મસ્તક જમીનને અડાડીને દંડવત કર્યા

 

નવી દિલ્હી : લોકલાડીલા પૂર્વ પીએમ અટલજીના નિધનને કારણે સમગ્ર ભારતમાં શોકનો માહોલ જોવા યો છે દરેક વ્યક્તિ તેમને શ્રધ્ધાંજલિ આપી રહી છે. પરંતુ માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાએ દંડવત કરીને તેમને અંજલિ અર્પી ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

   વાજપેયીના નિધનમાં રાજકારણના દરેક પક્ષના સભ્યો તેમની અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા. તેમાં કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ શ્રધ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવા આવનાર સભ્ય તેમના પાર્થિવ દેહ પાસે પુષ્પ ચડાવતા હતા, જ્યારે સિંધિયા એક એવા વ્યક્તિ જોવા મળ્યા હતા કે જેમણે વાજપેયીના દેહ આગળ ઘૂંટણના બળે મસ્તક જમીનને અડાડીને દંડવત કર્યા હતાં.

   અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી વિજયરાજ સિંધિયા ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ હતા. જોકે તેમના પિતા માધવરાય ગ્વાલિયરથી અટલજીની વિરુધ્ધમાં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. સિંધિયા પરિવારના બાજપેયી સાથેના સંબંધોના કારણે જે રીતે જ્યોતિરાદિત્યે બાજપેયીના પાર્થિવ દેહને દંડવત કરીને અંજલિ આપી અને બધાના દિલ જીતી લીધા હતાં.

(9:47 pm IST)