Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વાજપેયીના અંતિમ દર્શને પહોંચેલા સ્વામી અગ્નિવેશ સાથે મારામારી

નવી દિલ્હી તા. ૧૭ : આજે દિગવંત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ દર્શન માટે આવેલા સામાજીક કાર્યકર સ્વામી અગ્નિવેશ પર ટોળાંએ હુમલો કર્યો હતો. દિલ્હી સ્થિત દિન દયાળ ઉપાધ્યાય માર્ગ પર આ ઘટના બની હતી. અગ્નિવેશ વાજપેયીના અંતિમ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમા એક મહિલા પણ અગ્નિવેશ પર ચપ્પલ ઉગામતી જોઈ શકાય છે.

એક મહિના પહેલા અગ્નિવેશ પર ભારતીય જનતા યુવા મોર્ચાના કહેવાતા કાર્યકરોએ ઝારખંડના પાકુરમાં હુમલો કર્યો હતો. અહીં તેઓ આદિવાસીઓના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. અગ્નિવેશે પોતાના પર થયેલા હુમલા પાછળ રાજય સરકારનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના યુવા મોરચાએ આ હુમલા અંગે કહ્યું હતું કે તેઓ અગ્નિવેશનો વિરોધ કરવાના હતા, પરંતુ તેમના પર હુમલો કરનારા તેમના લોકો ન હતા. (૨૧.૨૧)

(3:39 pm IST)