Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજીએ રાજકીય કુનેહનું ઉત્તમ ઉદાહરણ પુરૃં પાડેલઃ વજુભાઇ વાળા

રાજકોટ તા. ૧૭: કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપેયીના અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી જણાવ્યું છે કે અટલજીની ચિરવિદાયથી સમગ્ર દેશમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે તેઓ રાષ્ટ્રનાયક તરીકે જાણીતા હતા. સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રતામાં રાખીને રાજકીય કુનેહનું સર્વોત્તમ ઉદાહરણ પુરૃં પાડયું હતું. 'પોખરણ'ના માધ્યમથી તેમણે રાષ્ટ્રશકિત અને ખૂમારીનો પરિચય કરાવ્યો હતો. ભારત વિશ્વની કો તાકાત સામે ઝુકશે નહિં તેવું તેમણે પુરવાર કરી બતાવ્યું હતું. આવા મહાન રાષ્ટ્રનાયક હંમેશા યાદ રહેશે.

 

(11:31 am IST)