Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજી ત્રિરંગામાં લપેટાયા :નિકટજનોએ કર્યા અંતિમ દર્શન

રાષ્ટ્રસન્માન સાથે તેઓના દેહને અંતિમદર્શન માટે રખાયો :કાલે ભાજપ કાર્યાલયથી અંતિમ સંસ્કાર માટે લઇ જવાશે

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એમ્સમાં સારવાર દરમિયાન નિધન બાદ તેમના પાર્થિવ દેહને દિલ્હી સ્થિત તેમના નિવાસ સ્થાને લઈ જવાયો છે. ત્યાં રાષ્ટ્રસમ્માન સાથે તેમના દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. 17 તારીખની સવાર સુધી તેમના અંતિમ દર્શન માટે  દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. જે બાદ ભાજપ કાર્યાલય પણ અંતિમ દર્શન માટે લઈ જવાશે. અને તે પછી તેમના દેહનું અંતિમ સંસ્કાર માટે લઈ જવાશે.

(12:00 am IST)