Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજી શાનદાર વક્તા, પ્રભાવી કવિ,ઉત્કૃષ્ઠ સાંસદ અને મહાન વડાપ્રધાન :તેઓના નિધનથી દુઃખી: મનમોહનસિંહ

 

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનાં નિધન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યે વાજપેયીની સેવાઓના લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. સિંહે પુર્વ વડાપ્રધાન વાજપેયીનાં નિધન અંગે દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનાં દુખદ નિધન અંગે ભાળ મળી. તેઓ એક શાનદાર વક્તા, પ્રભાવી કવિ, અદ્વિતીય લોકસેવક, ઉત્કૃષ્ણ સાંસદ અને મહાન વડાપ્રધાન રહ્યા હતા 

 

   તેમણે કહ્યું કે, વાજપેયીજી આધુનિક ભારતનાં ઉચ્ચસ્થ નેતાઓમાંથી એક હતા. તેમણે પોતાનાં સંપુર્ણ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું હતું. રાષ્ટ્ર પ્રત્યે તેમની સેવાઓનાં લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે

 

(12:00 am IST)