Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

૧૫,૦૦૦ રૂપિયા સુધીની ચુકવણી માટે બ્વ્ભ્ OTP જરૂરી નથીઃ RBI અત્યાર સુધી આ નિયમ ૧૦ હજાર રૂપિયા માટે હતો

નવી દિલ્હી, તા.૧૭: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ OTP વગર રૂ. ૧૫,૦૦૦ સુધીના ઓટો ડેબિટનો નિયમ લાગુ કર્યો છે. આ નવા નિયમ હેઠળ, ૧૫,૦૦૦ રૂપિયા સુધીની ચુકવણીના કિસ્સામાં, તમારે ચકાસણી અથવા મંજૂરી માટે OTP  દાખલ કરવાની જરૂર રહેશે નહીં.

૧૦ હજારની હતી મર્યાદાઃ અત્યાર સુધી આ નિયમ ૧૦ હજાર રૂપિયા માટે હતો. આ રકમ કરતાં વધુ ઓટો ડેબિટના કિસ્સામાં, વપરાશકર્તાએ ચકાસણી માટે OTP  દાખલ કરવું ફરજિયાત હતું. હવે આ મર્યાદા ૫ હજાર રૂપિયા વધારીને ૧૫ હજાર કરવાથી તે યુઝર્સને મોટી રાહત મળશે, જેમણે વધુ પૈસા ચૂકવવા પડશે. આમાં ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા મોબાઇલ વૉલેટ વગેરે દ્વારા ચૂકવણીનો સમાવેશ થાય છે.

હાલમાં જ આરબીઆઈએ મોનેટરી પોલિસીની સમીક્ષા કર્યા બાદ આ નવા નિયમ વિશે માહિતી આપી હતી. હવે આરબીઆઈએ આ અંગે સર્ક્યુલર જાહેર કર્યો છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ સુવિધામાં જાહેર હિતમાં વધારો થયો છે અને અત્યાર સુધીમાં આ માળખા હેઠળ ૬.૨૫ કરોડથી વધુ આદેશ નોંધાયા છે, જેમાં ૩,૪૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય વેપારીઓનો સમાવેશ થાય છે. આ સુવિધા હેઠળ પેમેન્ટના દિવસના ૨૪ કલાક પહેલા મેસેજ, ઈમેલ વગેરે દ્વારા બેંકને જાણ કરવી જરૂરી છે.

(4:11 pm IST)