Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

કોરોનાના કેસ વધ્‍યા : ૧૨,૮૪૭ નવા સંક્રમિત : ૧૪ના મોત

નવી દિલ્‍હી તા. ૧૭ : છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૪ લોકોના મોત થયા છે. ગુરુવારે, ૧૨,૨૧૩ નવા સંક્રમિત મળી આવ્‍યા હતા, જયારે શુક્રવારે ૧૨,૮૪૭. આ રીતે ગઈકાલ કરતાં આજે ૬૩૪ વધુ દર્દીઓ મળી આવ્‍યા છે. અત્‍યાર સુધીમાં કુલ ૪,૩૨,૭૦,૫૭૭ કેસ નોંધાયા છે. જેમાં કુલ મૃત્‍યુઆંક ૫,૨૪,૮૧૭  છે. હાલ ૬૩,૦૬૩ સક્રિય કેસ છે. દેશમાં ૧,૯૫,૮૪,૦૩,૪૭૧ લોકોનું રસીકરણ થયું છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્‍યા દિવસેને દિવસે વધી રહી છે. જોકે, ગુરુવારની સરખામણીએ શુક્રવારે વૃદ્ધિની ગતિ થોડી ઓછી હતી. શુક્રવારે ૧૨,૮૪૭ નવા દર્દીઓ મળી આવ્‍યા છે.

શુક્રવારે સવારે ૮ વાગ્‍યે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૪ લોકોના મોત થયા છે. ગુરુવારે, ૧૨,૨૧૩ નવા સંક્રમિત મળી આવ્‍યા હતા, જયારે શુક્રવારે ૧૨,૮૪૭. આ રીતે ગઈકાલ કરતાં આજે ૬૩૪ વધુ દર્દીઓ મળી આવ્‍યા છે. ગઈકાલ કરતાં આજે વધુ મૃત્‍યુ થયા છે. ગુરૂવારે ૧૧ લોકોના મોત થયા હતા.

(10:54 am IST)