Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4255 નવા કેસ:ત્રણ દર્દીઓના મોત

જે રાજ્યમાં 2879 દર્દીઓને સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.  જેમાં છેલ્લા 24 કલાકમાં 4,255 નવા કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીઓના મોત થયા છે. સક્રિય કેસ વધીને 20,634 થઈ ગયા છે. બુધવારે, કોરોનાના 4024 કેસ નોંધાયા હતા અને બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો, આજે નવા કેસોમાં 200 થી વધુનો વધારો થયો છે. સાથે જ કોરોના સંક્રમણને કારણે ત્રણ દર્દીઓના મોત થયા છે. આજે રાજ્યમાં 2879 દર્દીઓને સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

 રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,72,916 સેમ્પલનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 79,23,697 સેમ્પલ સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં Omicron ના નવા BA.5 વેરિઅન્ટના વધુ બે દર્દીઓ સામે આવ્યા છે. આ દર્દીઓ નાગપુરમાં મળી આવ્યા છે.

(10:00 pm IST)