Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મણીપુરમાં રાજકારણમાં ગરમાવો :ભાજપના કેટલાય ધારાસભ્યોએ રાજીનામુ ફગાવ્યું: ઘણા કોંગ્રેસમાં જોડાયા

મંત્રીઓએ પણ રાજીનામુ આપ્યું : ટીએમસી અને અપક્ષે ટેકો પાછો ખેંચ્યો

 

ઈમ્ફાલ : હાલ મણિપુરમાં રાજકારણ ચરમસીમાએ છે. અહીં BJP સરકાર પર ખતરો આવી પડ્યો છે. મણિપુરમાં કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. એટલું નહીં કેટલાક કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સાથે ભાજપને ટેકો પણ પાછો ખેંચાયો છે.

એસ.સુભાષચંદ્રસિંહ, ટી.ટી.હોકીપ અને સેમ્યુઅલ જેંદાઇએ ભાજપના ધારાસભ્યોના પદથી રાજીનામું આપ્યું અને આજે ઇમ્ફાલમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા.

એનપીપીના વાય જોયકુમાર સિંઘ, એન.કૈસીસી, એલ જયંતા કુમાર સિંહ અને લેટપાઓ હોકિપે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. જ્યારે ટીએમસીના ટી.રોબીન્દ્રો સિંઘ અને અપક્ષ ધારાસભ્ય શાહાબુદ્દીન ભાજપમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે.

(9:54 pm IST)