Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતી આપનારા વિર સેનાનીઓને નરેન્‍દ્રભાઇ મોદીએ રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીઓ સાથે યોજાયેલ વીડિયો કોન્‍ફરન્‍સ બેઠકમાં 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી અર્પી

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકની શરૂઆત ચીન સાથેના સંઘર્ષમાં ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સેનાનીઓને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને થઇ હતી

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ વીર શહિદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરતાં બે મિનીટનું મૌન પાળ્યું હતું અને ભારત માતાના આ સપૂતો પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી.

(5:43 pm IST)