Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

બંને પક્ષ મળી ૭૦ સૈનિકોના મૃત્યુ થયા

પથ્થરો-લોખંડની ચેઇન અને બાંમ્બુ ડંડાથી ચીનાઓ મધરાતે ચોરી છુપી તુટી પડેલ

 જમ્મુ  (સુરેશ ડુગ્ગર) : ભારતીય લશ્કરના ૨૦ ફૌજી જવાનો શહીદ થયા છે. જો કે ચીનને બેવડો માર પડયો છે, તેના ૪૫ જવાન માર્યા ગયા છે.  ભારતીય શહીદોની સંખ્યામાં વધારો થઇ શકે છે . સત્ત્।ાવાર અહેવાલો મુજબ બંને તરફથી કોઈ ગોળી ચાલી નથી. પરંતુ  સેંકડો ચીની સૈનીકો રાતના અંધારામાં ચોરી છુપી પથ્થરો, લોખંડની જંજીરો અને ડંડાથી તૂટી પડેલ, જેમાં ભારતીય લશ્કરની ૧૬ બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત ૨૦થી વધુ જવાનો શહીદ થઈ ગયા, ડઝનબંધ ભારતીય જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે.  ભારત-ચીન વચ્ચે સરહદ બાબતે વર્ષોથી વિવાદ ચાલુ છે. બંને દેશ વચ્ચે line of actual control ઉપર સત્ત્।ાવાર બંટવારો થયો નથી. લડાખમાં ભારતીય સેના દ્વારા રસ્તાઓ નિર્માણ થઇ રહ્યા છે જે અંગે ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીન કહે છે ભારત ચીનના વિસ્તારોમાં નિર્માણ કાર્ય કરી રહી છે, સ્થિતિ ખુબ સ્ફોટક.

(11:31 am IST)