Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ઇજાગ્રસ્ત ૧૭ જવાનો કાતિલ ઠંડીને લીધે મૃત્યુ પામ્યા: ભારતીય લશ્કરની જાહેરાત: ભારતીય જવાનોને કબ્જામાં લઈ, ભયાનક ત્રાસ ગુજારી, જીવ લેવામાં આવ્યો: (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી : ભારતીય લશ્કરી વર્તુળોને ટાંકીને ન્યૂઝફર્સ્ટ જણાવે છે કે ની:શસ્ત્ર   ભારતીય જવાનોને ઉપાડી જઈ, તેના ઉપર ત્રાસ વર્તાવી, મારી નાખવામાં આવ્યા છે. સરહદ પર શહીદ થયેલા જવાનોનો આંકડો વધી શકે છે

  . મળતી વિગતો મુજબ કેટલાક જવાનોનો પત્તો નથી. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે. ચીને હજી સુધી તેમની તરફ થયેલ જાનહાનિ અંગે કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી કે જાહેર થયેલ આંકડાને અમર્થન આપ્યું નથી. ભારતીય લશ્કરના નિવેદન મુજબ 17 ભારતીય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયેલ.શૂન્ય નીચેની ભયંકર ઠંડીમાં આવતાં મૃત્યુ પામ્યા છે.

(8:43 am IST)