Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મોદી નેતા નહી અભિનેતા છે તેના બદલે અભિતાભ બચ્ચનને વડાપ્રધાન બનાવી દીધા હોત તો સારૃં હતું

મિર્ઝાપુરમાં પ્રિયંકાગાંધીએ પીએમ મોદી પર કર્યો કટાક્ષ

મિર્ઝાપુર, તા.૧૭: લોકસભા ચુંટણી માટે પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાગાંધીએ બીજેપી અને મોદી વિરૂધ્ધ હુમલો કર્યો. પ્રિયંકાએ મિર્ઝાપુર થી રેલી દરમિયાન પીએમ મોદીને અભિનતા  ગણાવ્યા. એટલુ જ નહી તેઓએ પીએમ મોદી પર કટાક્ષ કરીને કહ્યું કે તેનાથી સારૃં તો અમિતાભને વડાપ્રધાન બનાવી દેત. પ્રિયંકાની રેલીમાં ઓમ પ્રકાશ રાજભરના પાર્ટીના સમર્થક પણ દેખાયા જે રાજયભરની પક્ષનો ઝંડો પકડીને ઉભા હતા.

મિર્ઝાપુરથી કોંગ્રેસ ઉમેદવાર લલિતેશ પતિ ત્રિપાઠી માટે પ્રચાર કરીને પ્રિયંકાએ કહ્યું,  મોદીજી, નેતા નહી અભિનેતા છે હવે તમે સમજી લોકો તમે વિશ્વના સૌથી મોટા અભિનેતાને તમારા વડાપ્રધાન બનાવી દિધા છે. તેના કરતા તો સારૃં હતું કે અભિતાભ બચ્ચનને જ વડાપ્રધાન બનાવી દઇશ.

પ્રિયંકાએ વધુમાં ઉમર્યુ કે, જો મોદી ફરી પીએમ બન્યાતો ૫ વર્ષ વધુ પિકચર જોવી પડશે. તેથી નકકી કરી લો કે મત કોને આપવો છે. જમીન પર કામ કરતા કે હવામાં ઉડનારાને મોદી દરેક ચુંટણીમાં નવી સ્ટોરી બનાવે છે.

પહેલા સ્ટોરી બનાવી કે ૧૫ લાખ રૂપિયા દરેક કોઇના ખાતામાં જશે. પરંતુ તે નહી થયું તો ફરી સ્ટોરી બનાવી આ વખતે ખેડૂતો માટે નવી સ્ટોરી બનાવી અને કહ્યું કે કિશાન સન્માન યોજના લાવ્યા. કિશાન સન્માન નહી અપમાન યોજના છે.

(4:01 pm IST)