Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

અનંતનાગમાં આતંકવાદીઓએ બિહારના યુવકને ગોળી મારી, હાલત ગંભીર

- બિહારના રહેવાસી રાજા શાહના પુત્ર શંકર શાહને ગરદન અને પેટમાં બે ગોળી વાગી

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારા વિસ્તારમાં આજે સાંજે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા બિહારના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ બિહારના રહેવાસી રાજા શાહના પુત્ર શંકર શાહને ગોળી મારી હતી. શંકરને ગરદન અને પેટમાં બે ગોળી વાગી હતી. ઘાયલને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

   
(10:29 pm IST)