Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

નરેન્દ્રભાઈ મોદીની સભામાં વાસણભાઈ આહિર, રમણભાઈ વોરા, નિતીનભાઈ ભારદ્વાજ સહિતનાની ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે લોકસભાની ચૂંટણી અનુસંધાને સુરેન્દ્રનગરમાં જાહેરસભા સંબોધવા માટે આવી પહોંચ્યા હતા. જાહેરસભાનું સંચાલન રાજકોટ ભાજપ અગ્રણી અને સુરેન્દ્રનગરના પ્રભારી નિતીનભાઈ ભારદ્વાજની આગેવાનીમાં કરવામાં આવ્યુ હતું. આ તકે પૂર્વ શિક્ષણ મંત્રી રમણભાઈ વોરા, વાસણભાઈ આહીર, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, કીરીટસિંહ રાણા, ધનરાજભાઈ કેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાજપના આગેવાનો-કાર્યકરોએ સ્વાગત કર્યુ હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:28 pm IST)