Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ નિધન : ફ્લેટમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

મંડી લોકસભા બેઠકનાં સાંસદ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા.

નવી દિલ્હી : ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ હાલતમાં અવસાન થયું છે.  રામસ્વરૂપ શર્મા હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકનાં સાંસદ હતા. તે છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા.

  સાંસદ રામસ્વરૂપ શર્માનું નિવાસસ્થાન, દિલ્હીની આરએમએલ હોસ્પિટલ નજીક ફ્લેટ છે. આ જ ફ્લેટમાં ભાજપનાં સાંસદ રામસ્વરૂપ શર્માનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. જો કે તેમની આત્મહત્યા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી, દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર આ સંદર્ભે માહિતી સવારે આઠ વાગ્યે મળી હતી

રામસ્વરૂપનો જન્મ 10 જૂન 1958 માં થયો હતો અને તેઓ આરએસએસનાં સક્રિય સભ્ય પણ હતા. 2014 માં પહેલી વાર તેમને મંડી બેઠક પરથી ભાજપની ટિકિટ આપવામાં આવી હતી. રામસ્વરૂપ મૂળ મંડી જિલ્લાનાં જોગેન્દ્રનગરનાં રહેવાસી હતા

  મોતની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે સાસંદનાં શવને નીચે ઉતાર્યો હતો. શરૂઆતી તપાસમાં મામલો આત્મહત્યાનો લાગી રહ્યો છે. જો કે આત્મહત્યા પાછળનું શું છે તે હજુ સામે આવ્યું નથી. હાલમાં પોલીસે સાંસદનાં શવને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્માનાં નિધનનાં સમાચાર મળ્યા બાદ પાર્ટી પણ શોકમાંં દેખાઇ રહી છે. વળી આજે થવાની સાંસદીય દળની બેઠકને પણ રદ કરી દેવામાં આવી છે. .

(11:05 am IST)