Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

યોગી આદિત્યને હાર પછી વધુ એક ઝટકોઃ પપ૦ કરોડનો કરાર રદ

કાનપુર, તા., ૧૭: પેટા ચુંટણીમાં હાર પછી યોગી આદિત્યનાથના માથા પર નિષ્ફળતાનું વધુ એક આળ લાગ્યું છે. ઇન્વેસ્ટર સમીટમાં પપ૦ કરોડના રોકાણ માટે કંપની આગળ આવ્યા બાદ હવે કરાર રદ કરી દીધો છે. યોગી સરકારના ઓફીસરોની કનડગતને આ માટે કારણભુત ગણાવાઇ રહી છે. કંપનીએ રોકાણ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ રોકાણ થયું હોત તો યુપીમાં ૩ હજારથી વધુ બેરોજગારોને રોજગાર મળ્યો હોત.  રીમઝીમ ઇસ્પાત નામની કંપનીએ આ  કરાર રદ કર્યો છે. રીમઝીમે થોડા દિવસો પહેલા યુપીની નામચીન એનએમએલને પણ પુનઃજીવીત કરવાનો ફેંસલો કર્યો હોત.

(3:48 pm IST)