Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ભારત સરકારે અજમેરના ઉર્સમાં પાકિસ્તાનથી આવતા શ્રદ્ધાળુઓના જથ્થાને તાત્કાલિક અટકાવી દેવો જોઈએ: સૈયદ જૈનુલઆબેદીન અલીખાન

અજમેરઃ અજમેર શરીફ દરગાહના પ્રમુખે પુલવામાની ઘટનાનો વિરોધ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોનો શ્રદ્ધાંજલિ આપતા અજમેર શરીફની દરગાહના દિવાન સૈયદ જૈનુલઆબેદીન અલીખાને જણાવ્યું કે, ભારત સરકારે વાર્ષિક ઉર્સમાં પાકિસ્તાનથી આવતા શ્રદ્ધાળુઓના જથ્થાને તાત્કાલિક અટકાવી દેવો જોઈએ. કેમ કે, પાકિસ્તાન ઉર્સની યાત્રાના બહાને પોતાના એજન્ટને ભારત મોકલીને ગુપ્ત માહિતી એક્ઠી કરે છે.

પોતાના નિવાસસ્થાને એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, "આ હુમલો પાકિસ્તાને કરાવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અન્ય સંગઠનોના માધ્યમથી પાકિસ્તાન ભારતમાં 28 હુમલા કરાવી ચૂક્યું છે. મોદી સરકારે ભારતમાંથી પાકિસ્તાનની હાઈ કમિશનરની કચેરીને બંધ કરીને પાકિસ્તાન પાછા ફરી જવાનો આદેશ આપવો જોઈએ. સાથે જ દરેક શહીદના પરિજનને રૂ.1 કરોડની મદદ આપવી જોઈએ. સરકારી નોકરી પણ આપવી જોઈએ. આ જ રીતે રાજસ્થાનના 5 શહીદોના પરિવારજનોને પણ ગેહલોત સરકારે રૂ.50-50 લાખની મદદ કરવી જોઈએ."

(12:04 pm IST)