Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઉતરપ્રદેશમાં ભાજપા જિંદાબાદ કહેશો ત્યારે કામ થશેઃ સમસ્યા લઇ આવેલ ખેડુતોને ભાજપા સાંસદ અનુરાગ શર્માએ રોકડું પરખાવ્યું

ઉતરપ્રદેશના ઝાંસીમા ભાજપા સાંસદ અનુરાગ શર્માએ ખેડુતોને કહ્યું કે જો તે ભાજપા જિંદાબાદ બોલશે ત્યારે કામ થશે ઝાંસી-લલીતપુર સાંસદ વિસ્તારમાં ગૌશાળા અને પુસ્તકાલયના ઉદઘાટનમા આવ્યા હતા જયાં ખેડુતોથી એમને વાત કરી ખેડૂત નેતાએ આની આલોચના કરતા કહ્યું કે સાંસદને આની સમજ નથી કે ખેડૂતોએ મત આપ્યા છે ત્યારે તે જીત્યા છે.

ઝાંસીના મઉરાનીપુર ગ્રામ્ય ક્ષેત્ર બજહોરી ગામમા આવેલ ક્ષેત્રીય સાંસદ અનુરાગ શર્માને સમસ્યા બતાવવા ખેડૂતો ભેગા થયા ખેડુતોએ આવેદન પત્ર આપ્યું તો સાંસદ અનુરાગ કહેવા લાગ્યા ભાજપા જિંદાબાદ બોલો તો કાર્ય થશે. ખેડૂત નેતા ગૌરીશંકર વિદુઆએ આની નિંદા કરતા કહ્યું સાંસદને બૂંદેલખંડના ખેડૂતોના દર્દનો ખ્યાલ નથી.

(11:00 pm IST)