Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

સારા 'સમય'વાળા વજુભાઈ વાળા... ૨૪ ફૂટની ઘડીયાલવાળા પ્રદર્શનનું ઉદ્ઘાટન

રાજકોટઃ કર્ણાટકના પાટનગર બેંગાલુરૂ ખાતે પેલેસ મેદાનમાં વિશ્વની સૌથી મોટી ઘડીયાલો પૈકીની એક ૨૪ ફુટ લંબાઈ અને ૨૪ ફુટ પહોળાઈની ઘડીયાલ સાથે સમય ભારતી ૨૦૨૦ પ્રદર્શન યોજાયેલ છે. જેનુ ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવેલ. જેમાં હરીયાળી, સ્વચ્છતા, એકતા વગેરેનો સંદેશ અપાયો છે. આ ઘડીયાલ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડો. અશ્વથ નારાયણ, સમય ભારતી સંસ્થાના ચેરમેન હેમલ મીહિર ખરૂડ વગેરે ઉપસ્થિત રહેલ. અવનવી ઘડીયાલોનો પ્રદર્શન મેળો રવિવાર સુધી ચાલુ રહેશે.

(3:48 pm IST)