Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ઘાસચારા કૌભાંડઃ રાંચીની સીબીઆઈ કોર્ટમાં લાલુનું નિવેદન નોંધાયુ

રાંચીઃ બહુચર્ચિત ઘાસચારા કૌભાંડના એક મામલામાં રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને રાંચી સ્થિત સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજુ કરવામાં આવેલ. રાંચીન ડોરડા કોષાગારમાંથી ૧૯૯૪-૯૫માં ૧૩૯.૩૫ કરોડ રૂપિયાની ગેરકાયદે ઉચાપત મામલો અને લાલુના મુખ્યમંત્રીકાળ દરમિયાનના ભ્રષ્ટ્રાચાર સાથે જોડાયેલ મામલે તેમનું નિવેદન નોંધાયેલ.

સીબીઆઈની વિશેષ કોર્ટના જજ એસકે શશિની કોર્ટમાં લાલુ પ્રસાદ સિવાય, પૂર્વ સાંસદ જગદીશ શર્મા, ડો.રાણા સહીત ૧૧ આરોપીઓ ટ્રાયલ કેસનો સામનો કરી રહ્યા છે. લાલુને રિમ્સ હોસ્પિટલનખા વોર્ડથી કોર્ટ સુધી કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવેલ. લાલુને જોવા અને મળવા મોટી સંખ્યામાં રાજદ કાર્યકરો કોર્ટમાં ઉમટી પડેલ.

(1:00 pm IST)