Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રાષ્ટ્રપતિએ નિર્ભયા ગેંગરેપ કેસના દોષી મુકેશ સિંહની ફાંસીની દયા અરજી ફગાવી

રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા ચારે નરાધમો નક્કી કરેલી તારીખે જ ફાંસીના માચડે ચડશે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિએ નિર્ભયા ગેંગરેપ કેસના નરાધમ મુકેશ સિંહની ફાંસીની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા હવે 22મી જાન્યુઆરીએ જ ચારે નરાધમોને ફાંસીની સજા આપવામાં આવશે.

  આ પહેલા ચારે અપરાધીઓમાંથી મુકેશ સિંહે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને ફાંસીની સજા પર રોક લગાવવા માટેની અરજી કરી હતી. જેના કારણે નરાધમોને આપવામાં આવતી ફાંસની સજામાં ફેરફાર થાય તેવી પણ સ્થિતિનું સર્જન થયું હતું. પણ હવે રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા ચારે નરાધમો નક્કી કરેલી તારીખના રોજ જ ફાંસીના માચડે ચડશે

(12:34 pm IST)