Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

એનપીઆરને લઇને કેન્દ્રનું સંમેલનઃ બંગાળ સીવાય તમામ રાજયો હાજર રહેશે

નવી દિલ્હીઃ એનપીઆરને લઇને કેન્દ્ર સરકારે બધા રાજયોના મુખ્ય સચિવો અને જનગણના નિર્દેશકોનું આજે એક સંમેલન બોલાવ્યું છે. પ. બંગાળને મુકીને બધા રાજયોએ સામેલ થવા હા ભણી દીધી છે. જેમાં રાજયોના અધિકારીઓને જનગણના અને એનપીઆરના સંબધમાં જાગરૂત કરાશે. કેન્દ્ર સરકાર સંમેલન દ્વારા રાજય સરકારનો ભરોસો જીતવાનો પ્રયાસ કરશે.

સંમેલનમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી નિત્યાનંદ રાય પણ હાજર રહેશે. વિરોધ પક્ષોએ આરોપ લગાડયો છે કે એનપીઆર દ્વારા સરકાર એનઆરસી લાગુ કરશે. જેને લઇને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહયું છે.

(11:23 am IST)