Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની તમામ ટિપ્પણીઓ પર મોઢું ખોલ્યું, કહ્યું બોર્ડ ઉપર બધું છોડી દ્યો

બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ જે કહ્યું તેના પર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ મોઢું ખોલ્યું.  બુધવારના રોજ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રવાના થતા પહેલા, કોહલીએ ODI અને T20 કેપ્ટનશીપ વિશેની પોતાની વાત બધાની સામે મૂકી હતી.  કોહલીએ કહ્યું હતું કે ગાંગુલીએ ટી-20ની કેપ્ટનશીપ છોડતા પહેલા તેને ક્યારેય રોક્યો ન હતો અને વનડેની કેપ્ટનશીપમાંથી હટાવ્યા પહેલા પણ તેની સાથે કોઈપણ પ્રકારની વાત થઈ ન હતી.

હવે વિરાટ કોહલીની વાતનો જવાબ આપતા સૌરવ ગાંગુલીએ ન્યૂઝ ૧૮ને કહ્યું કે હું અત્યારે આ બાબતો પર ટિપ્પણી કરવા માંગતો નથી અને બીસીસીઆઈ તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરશે અને તમે આ બધું બોર્ડ પર છોડી દો.  અત્યારે સૌથી મોટી વાત એ છે કે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ ખોટું બોલી રહ્યું છે.  ગાંગુલીએ કહ્યું હતું કે અમે કોહલીને ટી-૨૦ની કેપ્ટનશીપ ન છોડવા માટે કહ્યું હતું, જ્યારે તેની સાથે ઓડીઆઈની કેપ્ટનશીપની વાત કરવામાં આવી હતી, ત્યારે કોહલીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે બીસીસીઆઈએ તેને ક્યારેય આ વાતો કહી નથી.

(5:37 pm IST)