Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

તામિલનાડુઃ દિનાકરણના વફાદાર પક્ષ છોડી ડીએમકેમાં જોડાયા

નવી દિલ્હીઃ તામિલનાડુમા ગયા વર્ષે ૧૮ જેટલા ધારાસભ્યોને બળવાખોર નેતા ટી. દીનાકરણનો સાથઆપવા બદલ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવાયા હતા. તેઓ હવે ધીરેધીરે દિનાકરણને છોડી  ડીએમકે મા જોડાઇ રહ્યા છે.  ર૦૧૭માં સ્પીકર પી. ધનપાલે ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકેના ૧૮ ધારાસભ્યોને બળવાખોર નેતા દીનાકરણને સાથ આપવા બદલ અયોગ્ય ઠેરવ્યા હતા. દીનાકરણે  ત્યારબાદ નવો પક્ષ બનાવ્યો હતો. જેનું નામ અમ્મા મકકલ મુનેત્ર કઝગમ છે. ૧૮ જેટલા ધારાસભ્યો હવે દીનાકરણથી નાખુશ છે. જેઓ હવે પક્ષ છોડી ગયા છે. અને ડીએમકેમા જોડાયા છે. સ્પીકરના હુકમ સામે કોર્ટમા હારી જતા દીનાકરણે એવું કહ્યુ કે હવે અપીલ કરવાના બદલે પેટા ચૂંટણીનો સામનો કરો. પક્ષ છોડી ગયેલા ધારાસભ્ય બાલાજીના નિર્ણય અંગે દીનાકરણે કહ્યુ કે, તેમને કોઇ સમસ્યા નથી.

(12:28 pm IST)