Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ફિરોજાબાદમાં ભાજપના નેતાની ઘરમાં ધુસીને ગોળી મારીને હત્યા

અંધાધૂંધ ગોળીઓ ચલાવી હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર

ઉત્તર પ્રદેશના અસામાજિક તત્વોને કાયદા વ્યવસ્થાનો કોઈ ડર નથી બિન્દાસ ધોળેદિવસે લૂંટ, ધાડ અને હત્યાના બનાવો બને છે ત્યારે આજે ફિરોજાબાદમાં બીજેપી નેતા ડીકે ગુપ્તાની હત્યા કરવામાં આવી છે. બીજેપી ગુપ્તા બીજેપી મંડળના ઉપાધ્યક્ષ હતા. અજાણ્યા લોકોએ તેના ઘરમાં ઘુસીને એક પછી એક ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો. જેના કારણે તેની ઘટના સ્થળેજ મોત થયું હતું.

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. બીજેપી નેતાની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચી ગયો છે

(11:54 pm IST)