Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ડિરેકટર જનરલ શિપિંગને શિપ રિસાયકિલંગ માટે રાષ્ટ્રીય ઓથોરિટી જાહેર કરાઈ

ગાંધીનગરમાં નેશનલ રિસાયકિલંગ ઓથોરિટીનું કાર્યાલય શરૂ કરવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: કેન્દ્ર સરકારે રિસાયકિલંગ ઓફ શીપ એકટ, ૨૦૧૯ની રિસાયકિલંગની કલમ ૩ હેઠળ જહાજેના રિસાયકિલંગ માટે ડિરેકટર જનરલ શીપીંગને નેશનલ ઓથોરિટી તરીકે જાહેર કરી છે.

એક સર્વાચ્ચ સંસ્થા તરીકે, ડીજી શિપિંગ શિપ રિસાયકિલંગને લગતી તમામ પ્રવૃત્ત્િ।ઓનું સંચાલન, નિરક્ષણ અને દેખરેખ માટે અધિકૃત છે. ડીજી શિપિંગ શિપ રિસાયકિલંગ ઉદ્યોગના વિકાસની દેખરેખ કરશે, જે પર્યાવરણને અનુકૂળ ધોરણો અને શિપ રિસાયકિલંગ ઉદ્યોગમાં કાર્યરત હિસ્સેદારો માટે સલામતી અને આરોગ્યનાં પગલાંની દેખરેખ રાખશે. શિપ-રિસાયકિલંગ યાર્ડના માલિકો અને રાજય સરકારો દ્વારા આવશ્યક વિવિધ મંજૂરીઓ માટે ડીજી શિપિંગની આખરી સત્ત્।ા રહેશે.

ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ ઓથોરિટી ઓફ શિપ રિસાયકિલંગની સ્થાપના કરવામાં આવશે. આ નિર્ણયથી ગૂજરાતના અલંગમાં સ્થિત શિપ રિસાયકિલંગ યાર્ડના માલિકોને ફાયદો થશે જેને એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ અને શિપ રિસાયકિલંગ ઉદ્યોગનું ઘર માનવામાં આવે છે.  શિપ રિસાયકિલંગ એકટ, ૨૦૧૯ હેઠળ, ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સંગઠન (આઇએમઓ) હેઠળ શિપ રિસાયકિલંગ માટે હોંગકોંગ કન્વેશન સ્વીકાર્યું છે. ડિરેકટર જનરલ શિપિંગ ભારતના આંતરરાષ્ટ્રીય દરિયાઇ સંગઠનના પ્રતિનિધિ છે અને આંતરરાષ્ટ્રીય દરિયાઇ સંગઠનના તમામ સંમેલનો ડીજી શિપિંગ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યા છે.

(12:51 pm IST)