Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અરુણાચલ પ્રદેશમાં બળવો રોકવા શાસક ભાજપ પક્ષે ગજબનાકનું પગલું ભર્યું: ૧૧ પ્રધાનોના સલાહકાર તરીકે ૨૨ ધારા સભ્યોની નિમણૂક

અરુણાચલ પ્રદેશમાં ભાજપની સરકાર સામે શાસક પક્ષના જ ધારાસભ્યો દ્વારા સંભવિત બળવો રોકવા માટે ભારતીય જનતા પક્ષે અભૂતપૂર્વ પગલું ભર્યું છે. દેશમાં સંભવતઃ પ્રથમ વખત આ ઘટના બની છે જેમાં ૨૨ જેટલા ભાજપના ધારાસભ્યોને હાલના કેબિનેટ પ્રધાનોના સલાહકાર તરીકે તાકીદની અસરથી નિયુક્ત કરવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની કુલ ૬૦ બેઠકો છે જેમાંથી ૪૧ બેઠકો ભાજપ જીતી ગયેલ. સરકારમાં અત્યારે કુલ ૧૧ પ્રધાનોની સંખ્યા છે. આ ૧૧ પ્રધાનોને સલાહ આપવા માટે ભાજપે બાવીસ ધારાસભ્યોની એડવાઈઝર એટલે કે સલાહકાર તરીકે નિમણૂક કરી છે.

(11:44 pm IST)