Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

4 ભારતીયોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માટે ઇસ્લામાબાદ કોર્ટમાં ભારત સરકારની અરજી : ચારે આરોપીઓની સજાની મુદત પુરી થઇ ગઈ હોવાથી હવે જેલમુક્ત કરો

ન્યુદિલ્હી : 4 ભારતીયોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા માટે ઇસ્લામાબાદ કોર્ટમાં ભારત સરકારે અરજી કરી છે.જેમાં જણાવાયા મુજબ ચારે આરોપીઓની સજાની મુદત પુરી થઇ ગઈ છે.તેથી તેઓને હવે મુક્ત કરી દેવા જોઈએ .
આ ચાર કેદીઓ લાહોર તથા કરાચીની જેલમાં છે.જેમાં બિરજુ ડુંગ ડુંગ ,વિજ્ઞાન કુમાર ,સતીશ ભોગ ,તથા સોનુ સિંહનો સમાવેશ થાય છે.જેઓને સરહદ ઓળંગવાના આરોપસર પાકિસ્તાની સૈન્યએ સજા ફરમાવી હતી.  તેમની સજાની મુદત પુરી થઇ ગઈ હોવા અંગે 2019 તથા 2020 ની સાલમાં પત્ર પણ લખવામાં આવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:18 am IST)