Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

NSGનો ૩૫મો સ્થાપના દિવસઃ અમિતભાઈ શાહની ઉપસ્થિતિ

માનેસર સ્થિત નેશનલ સિકયુરીટી ગાર્ડના કેમ્પસમાં ગૃહપ્રધાન અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં એનએસજીનો ૩૫મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એનએસજીના જવાનોએ અમિતભાઈ શાહની સમક્ષ આતંકવાદી હુમલાથી બચાવનો ડેમો રજૂ કર્યો હતો. આતંકવાદ સામે લડવા માટે દેશમાં આ સર્વોચ્ચ ફોર્સ માનવામાં આવે છે. ૧૯૮૪માં તેની સ્થાપના કરાઈ હતી. એના કાફલામાં અમેરીકામાં બનેલી રૂક ગાડી પણ સામેલ કરાઈ હતી. આ પ્રસંગે એનએસજીના જવાનોએ તેમના કરતબ દર્શાવ્યા હતા.

(3:17 pm IST)