Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

પૂર્વ વડાપ્રધાન વાજપેઇની આજે પ્રથમ પૂણ્યતીથિઃ રાષ્ટ્રપતિ-PM વગેરેની શ્રધ્ધાંજલિ

'સદૈવ અટલ' સ્મૃતિ સ્થળે નેતાઓ ઉમટયા

નવી દિલ્હી તા. ૧૬ :.. પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેઇની આજે પ્રથમ પુણ્યતીથી છે દેશના ટોચના નેતાઓ તેમને શ્રધ્ધાંજલી આપી રહ્યા છે.

અહીં તેમના સ્મૃતિ સ્થળ 'સદૈવ અટલ' પર રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, સહિત અનેક નેતાઓ તેમને શ્રધ્ધાંજલી આપવા પહોંચ્યા હતાં.

પૂર્વ વડાપ્રધાનના સ્મૃતિ સ્થળે ભજન-કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતાં.

ઉપરાષ્ટ્રપતિએ પણ ટવીટ કરી અટલજીને શ્રધ્ધાંજલી આપી છે. પોતાની કવિતાઓ અને ચોટદાર પ્રવચનો માટે અટલજી જાણીતા હતાં. (પ-૧ર)

(10:22 am IST)