Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૨૫થી વધુ ઘાયલ

વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રધ્ધાળુઓ પર ભેખડ પડતા પાંચના મોત

જમ્મુ તા. ૧૬ : જમ્મુ-કશ્મીરનાં રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રદ્ઘાળુઓની ઉપર ભેખડ નીચે પડી છે. આ ઘટનામાં ૫ શ્રદ્ઘાળુઓનાં મોત થયાં છે જયારે ૨૫થી અધિક શ્રદ્ઘાળુઓ ઘાયલ પણ થયાં છે. શરૂઆતની જાણકારી મુજબ વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રદ્ઘાળુઓ રસ્તામાં એક ઝરણાં પાસે ન્હાવા માટે રોકાયાં હતાં.

ત્યારે ઝરણામાં ન્હાવા દરમ્યાન જ શ્રદ્ઘાળુઓ પર ભેખડ નીચે પડ્યો. જેમાં ૫ શ્રદ્ઘાળુઓનાં મોત થયાં જયારે ૨૫દ્મક અધિક શ્રદ્ઘાળુઓ ઘાયલ છે. દરેકને નજીકમાં આવેલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ છે.

આ ઘટના બાદ તુરંત જ મોકા પર સેના અને પોલીસનાં જવાનો પહોંચી ગયાં. તેઓએ ઘાયલોને તુરંત જ હોસ્પિટલ મોકલ્યાં. રાજયમાં વીતેલા છેલ્લાં કેટલાંક મહીનાથી સતત વરસાદ થઇ રહેલ છે. આશંકા એવી દર્શાવવામાં આવી રહેલ છે કે ભારે વરસાદ બાદ આ લેન્ડસ્લાઇડ થયેલ છે. શ્રદ્ઘાળુઓ પર ભારે ભેખડ પડવાંથી ત્યાં ભારે દોડધામ પણ મચી ગઇ હતી. એવું જણાવાઇ રહ્યું છે કે આ દુર્ઘટનામાં મોટે ભાગે શ્રદ્ઘાળુઓ સ્થાનીક લોકો જ હતાં.(૨૧.૬)

(11:53 am IST)