Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગોડસેના ઉત્તરાધિકારીઓ દ્વારા ભારતના આત્મા પર હુમલો : ભાજપીઓ ગોડસેના વંશજ :હેમત કરકરેને દેશદ્રોહી ગણાવે છે

ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેને દેશભક્ત ગણાવતા કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર અને માલેગાંવ બ્લાસ્ટ મામલાના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. તેમના આ નિવેદન બાદ રાજકીય બબાલ મચી છે કોંગ્રેસ તરફથી રણદીપ સિંહ સુરજેવાલાએ આ નિવેદનની નિંદા કરતા કહ્યું કે 'ગોડસેના ઉત્તરાધિકારીઓ દ્વારા ભારતની આત્મા પર હુમલો કરવામાં આવ્યો છે.

  સુરજેવાલાએ કહ્યું કે ભાજપના નેતા રાષ્ટ્રપિતાના હત્યારાને એક સાચા રાષ્ટ્રવાદીના રૂપમાં વર્ણિત કરી રહ્યા છે. જ્યારે દેશ માટે જાન આપનાર હેમંત કરકરે જેવા લોકોને દેશદ્રોહી ગણાવે છે. હવે સ્પષ્ટ છે, ભાજપાઈ ગોડસેના વંશજ છે. ભાજપાઈ ગોડસેને દેશભક્ત અને હેમંત કરકરેને દેશદ્રોહી ગણાવે છે.

  હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન જ ભાજપાઈ ડીએનએ છે. મોદી-શાહની પસંદિત પ્રજ્ઞા ઠાકુરે ફરી એકવાર ગાંધીજીના હત્યારામ નથુરામ ગોડસેને સાચો દેશભક્ત ગણાવી આખા દેશનું અપમાન કર્યું છે.

(7:57 pm IST)