Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસના સમાધાન માટે સૂચન મોકલો : એક લાખ સુધીનો પુરસ્કાર મેળવાની તક : પીએમ મોદીએ કર્યું ટ્વીટ

ક રૂપથી વાયરસના પ્રસારને રોકવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ નાગરિકોને સારી જાણકારી અને સાવધાનીઓ

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશની જનતા પાસે સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ સોમવારે ટ્વીટ કર્યું, 'ઘણા લોકો કોવિડ19 માટે ટેક્નોલોજીના માધ્યમથી સમાધાન શેર કરી રહ્યાં છે. હું તેમને @mygovindia પર પોતાના સૂચનો વ્યક્ત કરવાની અપીલ કરુ છું.  તમારો પ્રયાસ ઘણી રીતે મદદ કરી શકે છે.' વડાપ્રધાને તેની આગળ #indiaFightscorona પણ લખ્યું છે.

  ચેલેન્જમાં વિજેતાને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. તેમાં વિજેતાને એક લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર આપવામાં આવશે

@mygovindia ના પેજ પર આપવામાં આવેલી ચેલેન્જમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનીક રૂપથી વાયરસના પ્રસારને રોકવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ નાગરિકોને સારી જાણકારી અને સાવધાનીઓની સાથે સશક્ત બનાવવા છે. અમે તે વ્યક્તિઓ અને કંપનીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છીએ, જેની પાસે ટેક્નોલોજી અને સમાધાન, જૈવિક સૂચના વિજ્ઞાન, ડેટાબેસ, નિદાન વગેરે માટે એપ્સ છે જેની મદદથી કોરોના વાયરસ વિરુદ્ધ મજબૂત લડાઇ લડી શકાય છે

પીએમ મોદીએ કહ્યું કે, ઘણા લોકો પોતાની કહાની શેર કરી તે જણાવી રહ્યાં છે કે કઈ રીતે ભારત કોરોનાનો મુકાબલો કરી રહ્યું છે. તેનાથી કોરોના વિરુદ્ધ લડાઇમાં લાગેલા તમામ ડોક્ટર, નર્સ, કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ સહિત અન્ય લોકોનું મનોબળ વધારે છે

(12:06 am IST)