Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસને લઇ બિહારના આ વકીલએે કોર્ટમાંથી જિનપિંગ વિરૃદ્ધ દાખલ કરી ફરીયાદ

નવી દિલ્હીઃ  કોરોના વાયરસથી પુરી દુનિયા પ્રભાવિત છે. ચારે તરફ હાહાકાર મચ્યો છે. પુરી દુનિયામાં સવાલાખથી વધારે લોકો આની ચપેટમા આવ્યા છે. આને લઇ ૬પ૦૦ થી વધારે લોકોના મોત થઇ ચુકયા છે. ભારતમાં કુલ ૧૧૪ મામલા સામે આવ્યા છે.

આ ગંભીર બિમારીને લઇ મુજફરપુર કોર્ટમા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રાજદૂત વિરૃદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. એના પર આરોપ લગાવ્યો છે કે એમણે કોરોના વાયરસ બનાવ પુરા વિશ્વમાં ફેલાવ્યો.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ આ ફરિયાદ વકીલ સુધીર ઓઝાએ કરી છે. એનો હેતુ પુરા વિશ્વમાં દહેશત કાયમ કરવાનો છે. કોર્ટએ આગળ સુનાવણી ૧૧ એપ્રીલ ર૦ર૦ ના રાખી છે.

(11:51 pm IST)