Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મુખ્યમંત્રી કમલનાથ કાલે સાબીત કરે બહુમતઃ નહિ તો અલ્પમત માનવામાં આવશેઃ રાજયપાલની સટાસટી

મધ્યપ્રદેશમાં રાજકીય કટોકટીએ જોર પકડયુ છે હવે રાજયના ગવર્નર લાલજી ટંડનએ હવે મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખી ૧૭ માર્ચના ફલોર ટેસ્ટમા સમર્થન સાબીત કરવા માટે કહ્યુ છે. જો આવુ નહી કરવામાં આવે તો બહુમત નથી અલ્પમત છે.

મધ્યપ્રદેશના  રાજયપાલની ચીઠી એ ખેદની વાત છે આ પત્ર લખી વિશ્વાસ મત પ્રાપ્ત કરવા અને વિધાનસભામાં ફલોર ટેસ્ટ કરાવવામા પોતાની અસમર્થતા વ્યકત કરી છે. આ પહેલા બજેટ સત્રના પ્રથમ દિવસે રાજયપાલએ પોતાના ભાષણ પછી વિધાનસભાની કાર્યવાહી ર૬ માર્ચ સુધી સ્થગિત કરેલ. આ પછી બીજેપીએ સુપ્રિમ કોર્ટમા અરજી કરી કમલનાથ સરકારને ફલોર ટેસ્ટ માટે માંગ કરી છે. આ ઉપરાંત બીજેપીએ રાજયપાલ સમક્ષ ધારાસભ્યોની પરેડ પણ કરી.

(11:50 pm IST)