Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના પીડિતની સારવારનો ખર્ચ બિહાર સરકાર ઉઠાવશેઃ મૃત્યુ પર ચાર લાખનુ વળતર આપશે

પટનાઃ  બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારએ રાજયમા કોરોના વાયરસથી પીડિત લોકોની સારવારનો પુરો ખર્ચ સરકાર ઉઠાવશે અને મૃત્યુની સ્થિતિમાં  એમના પરિવારજનોને ચાર લાખ રુપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી છે.

નિતીશકુમારએ કહ્યું કે કોરોના વાયરસથી  ડરવાની જરુરત નથી ણ શતર્ક રહેવાની જરુર છે. હજુ સુધી રાજયમા કોરોના વાયરસથી સંક્રમણનો એક પણ પોઝીટીવ કેસ નથી મળ્યો.  સરકારે જરુરી પગલા લીધા છે. આ સાથે સ્વાસ્થ્ય વિભાગમાં ૧૦૦ અતિરિકત વેન્ટીલેટરની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો છે.

(11:40 pm IST)