Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પરબધામના મહંત કરશનદાસ બાપુનો ચોંકાવનારો વીડિયો વાયરલ : 2020માં વાયરસ દુર્ધટનાની કરી હતી આગાહી

બાપુએ કહેલું -- હવે જાજો સમય નથી, 2019ની સદીનો સુર્ય અસ્ત થયો, 2020 સદીની એવી દુર્ઘટના છે જેની કોઈ કલ્પના નહીં કરી શકે

રાજકોટ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે સમગ્ર વિશ્વને ચોંકાવનારો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં પરબધામના મહંત કરશનદાસ બાપુએ ગત વર્ષે આગાહી કરી હતી કે 2020માં એક વાયરસ આવશે એવી આગાહી કરી હતી. વીડિયો જૂનો છે અને કદાચ 2019નો હોવાની ચર્ચા છે. કરશનદાસ બાપુ કોઈ કાર્યક્રમમાં પોરબંદરના એક ગામમાં ગયા હતા. તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થ
          પરબધામના મહંત કરશનદાસ બાપુએ મંચ પરથી આગાહી કરતા વીડિયોમાં કહ્યું કે ' હવે જાજો સમય નથી, 2019ની સદીનો સુર્ય અસ્ત થયો, 2020 સદીની એવી દુર્ઘટના છે જેની કોઈ કલ્પના નહીં કરી શકે. એ સમુદ્રની સુનામી કેવી હશે તે ખબર નથી. સુર્ય નારાયણની સુનામી કેવી છે તેની ખબર નથી.2020ની સદીમાં એવો વાયરસ આવે છે જેના કારણે 48 કલાકમાં 1.5 કરોડ લોકોનો ભોગ લેવાશે

          કરશનદાસ બાપુના આ વાયરલ વીડિયોમાં બળેજ ઘેડના કાર્યક્રમમાં તેમની પધરામણી થઈ હોવાની કેપ્શન જોવા મળે છે. તેમણે ભક્તોને સંબોધતા કહ્યું કે '2020ની સદીનો સુર્ય ઉદય થાય ત્યારે એવી દુર્ઘટના છે એ આપડે કોઈ કલ્પના નહીં કરી શકીએ. સમુદ્રની સુનામી કેવી હશે તેની કલ્પના નહી થાય, સુર્ય નારાયણની સુનામીની ખબર નથી. લાવા, વાવાઝોડાં, ઉલ્કાપાતોની કલ્પના નથી.

(11:13 pm IST)