Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસને લઇ ઉજજૈનમાં મહાકાલની ભસ્‍મ આરતીમાં શ્રધ્‍ધાળુઓને નો-એન્‍ટ્રી

ઉજજૈનમાં કોરોના વાયરસને લઇ મહાકાલ મંદિર સમિતિએ ભસ્‍મ આરતીમાં શ્રધ્‍ધાળુઓની અનુમતિ પર રોક લગાવી છે. ૩૧ માર્ચ સુધી શ્રધ્‍ધાળુઓ ભસ્‍મ આરતીમાં સામેલ થઇ શકશે નહી.

મુંબઇમા કોરોના વાયરસને લઇ સિદ્ધિવિનાયક મંદિરને આગલા આદેશ સુધી બંધ કરવામાં આવ્‍યું છે. આ સાથે જ મંત્રાલય, વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન (રાનીબાગ ચિડીયા ઘર) નેશનલ પાર્ક, પબ, ડિસ્‍કો બંધ કરવામાં આવ્‍યા છે.

(10:32 pm IST)