Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસને ધ્‍યાને લઇ કરતારપુર કોરીડોર અનિશ્ચિત સમય માટે બંધઃ પંજાબના મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરિન્‍દરસિંહની ઘોષણા

ચંદીગઢઃ  પંજાબના મુખ્‍યમંત્રી અમરિન્‍દરસિંહ તરફથી સોમવારના એલાન કરવામાં આવ્‍યુ કે કોરોના વાયરસને ધ્‍યાને લઇ કરતારપુર કોરીડોરને થોડા સમય માટે બંધ કરવામાં આવેલ છે. પોતાની સરકારના ત્રણ વર્ષ પુરા થવાના અવસર પર પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધન કરતા મુખ્‍યમંત્રીએ શ્રધ્‍ધાળુઓને ગુરુદ્વારા કરતારપુર સાહિબના દર્શનો માટે  દશકા પછી અરદાસોના સ્‍વરૂપ પુલા કરતારપુર કોરીડોર સંબંધી પોતાની પ્રતિબદ્ધતાને યાદ આપતા કહ્યું કે આ કોરીડોર કોરોના વાયરસના મૌજુદા સમય પર સંકટ અલાવા ખુલ્લુ રહેશે.

મુખ્‍યમંત્રીએ કહ્યું કે કોરોના વાયરસના હાલના સંકટને ધ્‍યાનમાં રાખતા કોરીડોરને બંધ રાખવાનો નિર્ણય કામચલાવ વ્‍યવસ્‍થા છે જેનો મુખ્‍ય હેતુ આ ખતરનાક બિમારીને ફેલાતી રોકવાનો છે. એમણે કહ્યું કે આ કોરીડોરને સ્‍થાયી તૌર પર બંધ કરવાનો સવાલ જ ઉત્‍પન્ન થતો નથી.

(10:15 pm IST)