Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ગીર અભ્યારણ્ય અને દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરાયું: સિંહ દર્શન માટેની ઓનલાઇન બુક થયેલ પરમીટો પણ રદઃ ધારી પાસે આવેલ આંબરડી સફારી પાર્ક પણ બંધ કરાયું

રાજકોટઃ ગીર અભ્યારણ્ય અને દેવળીયા ગીર પરિચય ખંડની મુલાકાતે આવનાર પ્રવાસીઓ તથા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે ભારત સરકારશ્રી અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન, ગુજરાત રાજયના આદેશ અનુસાર કોરોના વાયરસ સામે તકેદારીના પગલાના ભાગરૃપે અભયારણ્ય અને દેવળીયા પીર પરિચય ખંડ પ્રવાસન હેતુસર તા. ૧૭ થી ર૯ માર્ચ સુધી બંધ રાખવામા આવેલ છે. પ્રવાસીઓ દ્વારા ઓનલાઇન પરમીટ બુકિંગ કરવામાં આવેલ હશે તે કેન્સલ કરવામાં આવે છે. કેન્સલ કરવામાં આવેલ પરમીટ ફીની રકમ નિયમોનુસાર ઓન લાઇન પરત કરવામાં આવશે.

         સરકારશ્રીના આદેશથી ધારી પાસે આવેલ આંબરડી સફારી પાર્ક પણ તા. ૧૭ થી ર૯ માર્ચ સુધી બંધ રાખવામાં આવેલ છે.

(9:29 pm IST)