Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

બેલેન્સીટ પર અસરની સમીક્ષા માટેનો આદેશ

તમામ બેંકોને આરબીઆઈની સૂચના

નવીદિલ્હી, તા. ૧૬ : આરબીઆઈએ તેના નોટિફિકેશનમાં ભારતમાં કોરોના વાયરસના ફેલાવા બાદ ઉભા થયેલા ખતરાના અનુસંધાનમાં બેલેન્સસીટ ઉપર અસરની સમીક્ષા કરવા તથા મુલ્યાંકન તરફ ધ્યાન આપવા તમામ બેંકો અને ફાઈનાન્સિયલ સંસ્થાઓને સુચના આપી છે. એસેટ ક્વોલિટી, લિક્વિડિટીમાં ધ્યાન આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. વેપારની પ્રક્રિયા વિશ્વસનીય રહે તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું છે. આરબીઆઈ દ્વારા આજે બેઠક યોજીને કેટલીક નવી વાત કરવામાં આવી હતી. આરબીઆઈ દ્વારા વિવિધ બેંકોને તથા નાણાંકીય સંસ્થાઓને રૂરી સૂચના આપી છે. જો કે, વ્યાજદર સંદર્ભે હાલમાં કોઇ નિર્ણય કરાયો નથી. આરબીઆઈના ગવર્નરના કહેવા મુજબ એમપીસી દ્વારા નિર્ણય કરાશે.

(7:46 pm IST)