Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મેરઠની પોલીસે ગામ લોકોને ગૌહત્યાના કેસમાં સામેલ ન થવા લેવડાયા સંકલ્પ

બુલંદશહેર માં હિંસક તોફાનો બાદ મેરઠ પોલીસ સતર્ક ;એક ટીમ બનાવી લોકોને કરે છે જાગૃત

મેરઠ:બુલંદશહેરમાં ગૌહત્યા બાદ થયેલી હિંસાના પગલે મેરઠ પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે. મેરઠની પોલીસે ગામના લોકોને ગૌહત્યા નહી કરે તેના કેસમાં સંકલ્પ લેવડાયા છે.

  ગામમાં અલગ-અલગ જગ્યાએ જઈને બેઠક કરીને ગૌહત્યા નહી કરીએ તેવો સંકલ્પ લેવડાવી રહ્યા છે.

  પોલીસે આ મામલે એક ટીમ બનાવી છે. તેઓ પબ્લિકને જાગૃત કરી રહ્યા છે કે તેઓ ગૌહત્યામાં શામેલ ન થાય કારણકે ગૌહત્યા એ કાનુન વિરુદ્ધ છે.

પોલીસે લોકોને સંકલ્પ તો લેવડાયા જ અને સાથ કહ્યું પણ કે જો તેમના ધ્યાનમાં કોઈ વ્યક્તિ ગૌહત્યા મામલે નજર આવશે તો તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.

(2:23 pm IST)