Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અયોધ્યા મનપા દ્વારા મંદિર સહિત 176 બિલ્ડિંગના માલિકો- મેનેજમેન્ટને નોટીસ :રીપેરીંગ કરો અથવા પાડી નાખવા કહેણ

ઉત્તરપ્રદેશ રાજ્યમાં અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 176 બિલ્ડીંગનાં માલિકો અને મેનેજમેન્ટને નોટિસ મોકલી છે. આ નોટીસ જર્જરિત થયેલાં બાંધકામને કાં તો રિપેર કરાવે અથવા એનો વિનાશ કરે એ માટેની છે.

AMC દ્વારા મોકલાયેલી 176 નોટિસમાં એ વિસ્તારનાં અમુક મંદિરો પણ શામેલ છે, જેને મંદિરનું બાંધકામ ફરીથી કરવા માટે અથવા વિનાશ કરવા માટે કહેવામાં આવ્યું છે.

નોટિસ મોકલવામાં આવેલ દરેક બાંધકામ જર્જરિત હાલતમાં છે. આ બાંધકામને રીનોવેશન કરવાં માટે અથવા બાંધકામને જમીનદોસ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે.

(2:17 pm IST)